ચંદ્વ ની શીતળતા
વાદળ ની વિશાળતા
સમુદ્વ ની ઉન્ડાઇ
તારા પ્રેમ ના પયાઁય.....એ માઁ
શ્રુષ્ટિ મા શ્રેષ્ઠ
વ્રુષ્ટિ મા ઉદક
પરવતો મા આકાર
તારા અનુરાગ ના પ્રકાર.....એ માઁ
પુસ્પો મા સુગન્ધ
વ્રુક્ષો મા તન્ત
તત્વો મા જીવંતતા
શ્રુષ્ટી મા તારી મહત્વતા.....એ માઁ
માણસ એવી શક્તિ મેળવે કે શોધ કરે જેના પ્રભાવથી એ આકાશમાં ઊડી શકે, બીજાના મનની વાત કરી શકે, દીર્ઘાંયુ બની શકે, સુખોપભોગનાં સઘળાં સાધનો વસાવી શકે, પ્રકૃતિનાં તત્વોને નાથી શકે, અને ભૂતભાવિના પડદાને હઠાવી શકે, તો પણ શું ? એ કદાચ સર્વ પ્રકારના જ્ઞાનવિજ્ઞાનના સંગ્રહ જેવો બની જાય તો પણ શું ? ભૌતિકક્ષેત્રે એ બધી સિદ્ધિઓનું મહત્વ જરૂર મનાવાનું પરંતુ આત્મિકક્ષેત્રે માનવ જેને માટે તલસે છે એ બધું એથી એને ભાગ્યે જ મળવાનું. જે શાંતિ, સુખ, આનંદ, સ્વતંત્રતા, મુક્તિ કે પૂર્ણતાને માટે એ ઝંખે છે એની સિદ્ધિ માટે તો એણે બીજી દિશામાં જ પ્રયાસ કરવો પડવાનો. એના વિના એ ઝંખના સફળ નહિ જ થઈ શકવાની.
જ્યાં સુધી માણસ પોતે સદગુણ, સદવિચાર ને સત્કર્મની મૂર્તિ નથી બન્યો અથવા એને માટેની કોશિશ પણ નથી કરતો; જ્યાં સુધી પોતાના મન ને પોતાની ઈન્દ્રિયો પર કાબૂ કરવાનો પ્રયત્ન નથી કરતો; વિશાળ, ઉદાર, સેવાપરાયણ તથા સ્નેહમય નથી બનતો, અને સંસારની વિનાશીતા તેમજ વિષયોની ક્ષણભંગુરતાને સમજીને મનને તેમાંથી પાછું વાળીને અવિનાશી ઈશ્વરમાં નથી પરોવતો, ત્યાં સુધી એનું જીવન મંગલ નથી થઈ શકતું. અને એ બીજાનું મંગલ પણ નથી કરી શકતો.
આપણા અને બીજાના જીવનને સુખમય કરવા માટે આપણે આદર્શ માનવ થવાની તથા આ પૃથ્વી પર સ્નેહ, સંપ તેમજ સહકારથી આદર્શ રીતે જીવવાની જરૂર છે. એનું નામ જ ધર્મ. ધર્મ અથવા આધ્યાત્મિકતા એ મંગલમય કામમાં મદદરૂપ થાય છે માટે જ એની મહત્તા છે. અને એનો અનાદર કરનારે જાણવું જોઈએ કે, આજે એની આવશ્યકતા સૌથી વધારે છે - માનવધર્મની આવશ્યકતા. માનવની પાસે બીજું બધું હશે પરંતુ એના પોતાના સહજ ધર્મ જેવી માનવતા નહીં હોય તો એ બધું એને સંપૂર્ણ સૂખ-શાંતિ નહી આપી શકે અને સંસારને સ્વર્ગીય પણ નહીં કરી શકે.
इतना ना बढाओ दुःख अपना
जीना ही दुर्भर हो जाये
अपने मन कि अथाह पींडा
जिसने इस मन में छुपा लिया
वो ही है सच्चा वैरागी ।
दुःख-सुख जीवन के दो पहलू
एक आते है एक जाते है
दो पाटों में पिसतें हैं जो
सच्चा सोना बन जाते हैं ।
दुःख चीज नहीं है दिखाने की
इसको दिल में महसुस करो
एहसास न होने दो इसका
मुस्कानों से इसको भर दो ।
जब गम कि आग भड़क जाये
आंसू बरसा लो अकेले में
सुख में तो सभी हंस लेते हैं
दुःख में भी हंसना सीख लो तुम
दुःख कि भडास बाहर कर लो
इस हंसी के हर पैमाने में