Monday, December 15, 2008

માતૃભૂમિ

આ માતૃભૂમિ મુજ શાશ્વત પ્રાણપ્યારી
અત્યંત મંગલ પવિત્ર ત્રિલોકન્યારી,
વૈંકુઠભૂમિ જનની શુચિદેવતાની,
પ્રાકટ્યધામ પ્રભુનું જગની વિધાત્રી.

આ પારણું સુખદ શૈશવનું મહારું,
ક્રીડાસ્થલી મધુર યૌવનની પ્રમત્ત;
વાર્ધક્યનું વિમળ શ્રેષ્ઠ વિરામસ્થાન,
કૈવલ્ય મૃત્યુપળ કેરું પ્રશાંતિધામ.


ગંગા પ્રશાંત યમુના મધુ નર્મદાશી
ગાતી અસંખ્ય સરિતા નિજપ્રેમગાન,
રેલે હિમાલય સમા ગિરિરાજ રશ્મિ
શાં દેશગૌરવ તણાં શુચિ સભ્યતાનાં !


જેણે કુદૃષ્ટિ જગતે ન કરી કદીયે,
ના શસ્ત્રથી હડપવા પરભૂમિ યત્નો
સ્વપ્ને કર્યાં, રગ ભર્યાં ઋત ને અહિંસા,
એ ભૂમિને નમન કોટિક કાં કરું ના ?

જેણે પ્રશાંતિમય આસનપે વિરાજી
આત્મા તણી પરમખોજ કરી પુરાણે
અર્પ્યા ચતુર્વિધ મહાપુરષાર્થ કેરા
મંત્રો મનુષ્યકુળને હિતના અનેરા.

અધ્યાત્મનાં સુખદશાશ્વત રશ્મિ રેલ્યાં
અજ્ઞાનના થર નિરંતર ભેદવાને,
એનો અનંત મહિમા નવ શારદાયે
ગાઈ શકે કવન પૂર્ણપણે કદાયે.

આ માતૃભૂમિ મધુસંસ્કૃતિમાત ન્યારી
શ્રેયસ્કરી સુખમયી વસુધાવિધાત્રી
છે જન્મભૂમિ સહુની, ચિરકાળ એની
જયોત્સના રહો ઝગમગી નવપ્રાણ રેલી :

સંરક્ષવા સુખમયી કરવા યશસ્વી
માહાત્મયગૌરવ વળી ધરવા અનેરું
એનું સદૈવ મુખ ઉજ્જવલ રાખવાને
મારું સમસ્ત સમિધા ધન થાઓ પ્યારું !


( શ્રી યોગેશ્વરજી કૃત 'ગાંધી ગૌરવ' માંથી )

Friday, December 12, 2008

આધ્યાત્મિકતાની આવશ્યકતા

માણસ એવી શક્તિ મેળવે કે શોધ કરે જેના પ્રભાવથી એ આકાશમાં ઊડી શકે, બીજાના મનની વાત કરી શકે, દીર્ઘાંયુ બની શકે, સુખોપભોગનાં સઘળાં સાધનો વસાવી શકે, પ્રકૃતિનાં તત્વોને નાથી શકે, અને ભૂતભાવિના પડદાને હઠાવી શકે, તો પણ શું ? એ કદાચ સર્વ પ્રકારના જ્ઞાનવિજ્ઞાનના સંગ્રહ જેવો બની જાય તો પણ શું ? ભૌતિકક્ષેત્રે એ બધી સિદ્ધિઓનું મહત્વ જરૂર મનાવાનું પરંતુ આત્મિકક્ષેત્રે માનવ જેને માટે તલસે છે એ બધું એથી એને ભાગ્યે જ મળવાનું. જે શાંતિ, સુખ, આનંદ, સ્વતંત્રતા, મુક્તિ કે પૂર્ણતાને માટે એ ઝંખે છે એની સિદ્ધિ માટે તો એણે બીજી દિશામાં જ પ્રયાસ કરવો પડવાનો. એના વિના એ ઝંખના સફળ નહિ જ થઈ શકવાની.

જ્યાં સુધી માણસ પોતે સદગુણ, સદવિચાર ને સત્કર્મની મૂર્તિ નથી બન્યો અથવા એને માટેની કોશિશ પણ નથી કરતો; જ્યાં સુધી પોતાના મન ને પોતાની ઈન્દ્રિયો પર કાબૂ કરવાનો પ્રયત્ન નથી કરતો; વિશાળ, ઉદાર, સેવાપરાયણ તથા સ્નેહમય નથી બનતો, અને સંસારની વિનાશીતા તેમજ વિષયોની ક્ષણભંગુરતાને સમજીને મનને તેમાંથી પાછું વાળીને અવિનાશી ઈશ્વરમાં નથી પરોવતો, ત્યાં સુધી એનું જીવન મંગલ નથી થઈ શકતું. અને એ બીજાનું મંગલ પણ નથી કરી શકતો.

આપણા અને બીજાના જીવનને સુખમય કરવા માટે આપણે આદર્શ માનવ થવાની તથા આ પૃથ્વી પર સ્નેહ, સંપ તેમજ સહકારથી આદર્શ રીતે જીવવાની જરૂર છે. એનું નામ જ ધર્મ. ધર્મ અથવા આધ્યાત્મિકતા એ મંગલમય કામમાં મદદરૂપ થાય છે માટે જ એની મહત્તા છે. અને એનો અનાદર કરનારે જાણવું જોઈએ કે, આજે એની આવશ્યકતા સૌથી વધારે છે - માનવધર્મની આવશ્યકતા. માનવની પાસે બીજું બધું હશે પરંતુ એના પોતાના સહજ ધર્મ જેવી માનવતા નહીં હોય તો એ બધું એને સંપૂર્ણ સૂખ-શાંતિ નહી આપી શકે અને સંસારને સ્વર્ગીય પણ નહીં કરી શકે.



(શ્રી યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)

Thursday, December 11, 2008

Santvana

इतना ना बढाओ दुःख अपना

जीना ही दुर्भर हो जाये

अपने मन कि अथाह पींडा

जिसने इस मन में छुपा लिया

वो ही है सच्चा वैरागी ।

दुःख-सुख जीवन के दो पहलू

एक आते है एक जाते है

दो पाटों में पिसतें हैं जो

सच्चा सोना बन जाते हैं ।

दुःख चीज नहीं है दिखाने की

इसको दिल में महसुस करो

एहसास न होने दो इसका

मुस्कानों से इसको भर दो ।

जब गम कि आग भड़क जाये

आंसू बरसा लो अकेले में

सुख में तो सभी हंस लेते हैं

दुःख में भी हंसना सीख लो तुम

दुःख कि भडास बाहर कर लो

इस हंसी के हर पैमाने में